કારણો
જઠરના એસિડને પાછા આવતા અટકાવનાર અન્નનળીના વાલ્વની નબળાઇ.
મોટી માત્રામાં ખાવું અથવા મોડી રાત્રે ખાવું.
જમ્યા પછી તરત જ સૂઈ જવું.
સ્થૂળતા.
ધૂમ્રપાન અથવા સેકન્ડ હેન્ડ સ્મોકિંગ.
દારૂ.
ચરબીયુક્ત ખોરાક અથવા મસાલેદાર ખોરાક.
કાર્બોનેટ પીણાં અને કેફીનયુક્ત પીણાં.
સગર્ભાવસ્થા.
હાયટસ હર્નીયા.
અમુક દવાઓ.
લક્ષણો
છાતીમાં બળતરા થવી.
છાતીમાં દુખાવો થવો.
મોઢામાં ખાટું પાણી આવવું.
ગળામાં દુઃખાવો થવો.
ઓડકાર આવવા.
શ્વાસમાં દુર્ગંધ આવવી.
શ્વાસની તકલીફ થવી
પેટમાં ભરાવો લાગવો.
ઊબકા આવવા.
કોમ્પલીકેશન
અન્નનળીનો સોજો – અન્નનળીની ચામડીમાં સોજો જે રક્તસ્રાવ અને અલ્સર તરફ દોરી જઈ શકે છે.
અન્નનળી સાંકડી થવી – વારંવાર ચાંદા પડતા અન્નનળી સાંકડી થવાથી ગળવામાં તકલીફ થઇ શકે છે.
બેરેટ ઇસોફેગસ - પેટના એસિડથી લાંબા સમયના નુકસાનને કારણે અન્નનળીના અસ્તરમાં કેન્સરની પહેલાના સ્ટેજ જેવા ફેરફારો થઇ શકે છે.
લાંબા સમય સુધી ચાલતી ઉધરસ અથવા અસ્થમા થઇ શકે છે.
નિદાન
રોગના લક્ષણો, તીવ્રતા અને વધારનાર અને ઘટાડનાર પરિબળો વિષે ડોક્ટર દ્વારા પૂછતાછથી ઘણા બધા દર્દીઓમાં આ રોગ પકડાઈ શકે છે.
તપાસો
એન્ડોસ્કોપી - અન્નનળીમાં એક કેમેરો ઉતારી પેશીઓને નુકસાન અથવા કોઈપણ અસામાન્ય વૃદ્ધિની તપાસ કરવી.
ઇસોફેજીયલ મેનોમેટ્રી - આહાર કે પાણી ગળતી વખતે અન્નનળીના સ્નાયુઓના લયને ચકાસવા માટે તપાસ.
અન્નનળીમાં એસીડના પ્રમાણનો અભ્યાસ - એક પરીક્ષણ કે જે તમારા અન્નનળીમાં એસિડ ક્યારે અને કેટલો સમય રહે છે તે તપાસે છે.
બેરીયમ સ્વાલો - અન્નનળી સાંકડી બની રહી છે કે નહીં તે શોધવા માટે તપાસ.
ઉપચાર અને પ્રિવેન્શન
જીવનશૈલીમાં ફેરફાર
જી.ઈ.આર.ડી. વધારનાર ખોરાક લેવાનું ટાળો.
હળવો આહાર લો.
ભોજન પછી ૩ કલાક માટે સુવું કે આડું પડવું નહીં.
ધૂમ્રપાન અને દારૂ નિષેધ.
વજન ઘટાડવો
ઊંઘતી વખતે શરીરનો ઉપરનો ભાગ ઉંચો રાખવો.
દવાઓ - વિવિધ પ્રકારની એન્ટાસિડ દવાઓ લઇ શકાય છે.
શસ્ત્રક્રિયા - જો દવાઓ અને જીવનશૈલી ફેરફારથી ફાયદો ન થાય તો:
નિસાન ફંડોપ્લિકેશન નામક સર્જરી કરી શકાય છે જેમાં સર્જન તમારા નીચલા એસોફેજલ સ્ફિન્ક્ટરની આસપાસ તમારા પેટના ઉપરના ભાગને લપેટી લે છે જેથી વાલ્વ જેવી કામગીરી ફરીથી બનાવી શકાય.